શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ

શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક શાળાના આચાર્યનુ સન્માન કર્યું

ખેડા જિલ્લામાં આગામી સમયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 આયોજન સંદર્ભે મહેમદાવાદ તાલુકાના 168 પ્રાથમિક શાળા અને 35 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યની સંકલન બેઠક યોજવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર બાળકોના સો ટકા નામાંકન થાય અને ડ્રોપ આઉટ શૂન્ય થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓનલાઇન હાજરી, એસએમસી અને એસડીએમસી પુન રચના , ગુણોત્સવ 2.0 , શાળા સલામતી, મધ્યાહન ભોજન યોજના, શાળા ગ્રાન્ટ વપરાશ, રિપોર્ટકાર્ડ, સાહિત્ય વિતરણ, ઔષધ બાગ , કિચન ગાર્ડન, શાળા ટ્રાન્સપોર્ટેશન, એક પેડ મા કે નામ, પીએટી- એસએટી સમીક્ષા, વોકેશન અને પ્રી વોકેશનલ,10 બેગલેસ ડે , શિક્ષક તાલીમ, વિવિધ પ્રકારની ઓનલાઈન કામગીરી, બાળમેળા, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન, કલા મહોત્સવ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એફએલએન અને ઉપચારાત્મક કાર્ય, બ્રીજ કોર્સ, ઇનોવેશન, સ્કૂલ ઓફ એક્સલેન્સ, વિવિધ ઉત્સવો ની ઉજવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત ગુણોત્સવ 2.0 માં ગત વર્ષે એ-ગ્રેડ લાવનાર 9 માધ્યમિક શાળા અને 22 પ્રાથમિક શાળાના આચાર્યને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં આગામી તા.26 27 અને 28 જુન 2025 ના રોજ પ્રવેશોત્સવ યોજાશે.જે અન્વયે મહેમદાવાદ તાલુકાના 168 પ્રાથમિક શાળા, 35 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સાથે સંકલન મીટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.ગોહિલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ કઠલાલના જે એસ.ગોસ્વામી, બીઆરસી કો-ઓર્ડીનેટર દીપકભાઈ સુથાર , શિક્ષણ નિરીક્ષક મહેન્દ્રભાઈ ડાભી, શિક્ષક સંગઠનના હોદ્દેદારો, શિક્ષક શરાફી મંડળી ના હોદ્દેદારો, સી આર સી કો ઓડીનેટર , પે સેન્ટર શાળાના આચાર્ય, તાલુકા શાળા આચાર્ય અને મુખ્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટીંગમાં વર્ષ-2025-26ના શૈક્ષણિક સત્રની શરૂઆત માટે તમામ શાળાઓ સુચારૂ વ્યવસ્થા,શૈક્ષણિક કાર્ય ,વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ યોજવા અંગે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.જેમાં

Latest News


News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી...
Read More
News Image
મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બન...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More
News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More