મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે

મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બનાવાયુ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા રૂ 20 કરોડના ખર્ચે અત્યાધુનિક હોલ તૈયાર કર્યો

મહેમદાવાદ શહેરના મહાકાળી મંદિર સામે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા રૂ 20 કરોડના ખર્ચે અત્યાધુનિક હોલ તૈયાર કર્યો છે. આ હોલ ત્રણ માળનો છે જેમાં ગ્રાઉન્ડ ફલોર પર 1200 વ્યક્તિની ક્ષમતા ધરાવતો બેન્કવેટ હોલ અને રસોડું, બીજા માળે સેન્ટ્રલ એસી સાથેની લાયબ્રેરી છે જેમાં આશરે 200 વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકશે. ત્રીજા માળે સેન્ટ્રલ એસી સાથેનું આધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ હોલની બહાર બગીચો અને પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. આ હોલનું નામકરણ મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની અને ગુજરાત રાજ્યની ચળવળના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજના નામ પરથી કરવામાં આવ્યું છે.ત્યારે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણની રજૂઆતથી આ હોલ સાકાર થયો છે.

તા.12 મી એપ્રિલ 2025 ના ને શનિવારે બપોરે 12:00 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે આ હોલનુ લોકાર્પણ કરશે. આ સાથે જ મહેમદાવાદ ખાતે થી કઠવાડા ખાતે નિર્મિત ઓડિટોરિયમ હોલ, રણાસણ-એણાસણ ટી.પી. 412-બી માં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ તેમજ જળ-જીવન મિશન અંતર્ગત દસક્રોઈ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટે કડાદરા દેડવર્કસ આધારિત ટૂંક મેઈન લાઈન, સમ્પ, પમ્પિંગ સ્ટેશન ની કામગીરી સહિતના કુલ રૂ 142 કરોડના ખર્ચે નિર્મિત 4-પ્રકલ્પનું ઈ લોકાર્પણ કરશે. તાજેતરમાં જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવે મહેમદાવાદ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજ નવા હોલ ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓને સફાઈ, વીજળી, રોડ રસ્તા, ટ્રાફિક, ઢોર નિયંત્રણ, ફાયર સેફ્ટી, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુચારૂ વ્યવસ્થા જાળવવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

Latest News


News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક...
Read More
News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More
News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More